દિલ્હી એરપોર્ટનું છત તૂટવા મામલે રાજકારણ: ભાજપ કહે છે કોંગ્રેસે કર્યું, કોંગ્રેસ કહે છે ભાજપે કર્યું; તો શું દુર્ઘટના માટે દેશના લોકો જવાબદાર?
- 28 Jun, 2024
દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર છત પડી જવાના પગલે શુક્રવારે વહેલી સવારે એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જ્યારે 5 વ્યક્તિને ઈજા થઈ છે. આ ઘટના પછી હાલ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે હજી તો આ વર્ષે માર્ચમાં જ વડાપ્રધાને પોતાના હાથે જ આ ટર્મિનલના વધારવમાં આવેલા ભાગનું ઉદ્ધાટન કર્યું હતું. બીજી તરફ ભાજપના સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડું કિનજારાપુનું કહેવું છે કે ટર્મિનલની જે છત પડી ગઈ છે, તેનું બાંધકામ તો વર્ષ 2008-09માં એટલે કે કોંગ્રેસના રાજમાં થયું છે. અંતે સવાલ એ છે કે આવું બોદું કામકાજ કર્યું કોણ અને આ ભૂલ દેશના સામાન્ય લોકો ભોગવે જે દરેક વર્ષે પ્રમાણિક પણે પોતાને ભરવાને આવતો ટેક્સ ભરે છે...
કોંગ્રેસે રાજધાની દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત પડવાની ઘટના બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ ઠેરવ્યા હતા. વિરોધ પક્ષે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેનું ઉદ્ધાટન જ આ વર્ષે માર્ચ મહિનામાં PM મોદીએ કર્યું હતું. કોંગ્રેસને વળતો જવાબ આપતા નાયડુંએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ટર્મિનલ-1ની જે છત પડી ગઈ છે, તેનું નિર્માણ તો વર્ષ 2009 દરમિયાન કોંગ્રેસના શાસનમાં થયું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આ વર્ષે માર્ચમાં ટર્મિનલ-1ના એક્સપાન્શન(વધારવામાં) કરવામાં આવેલા ભાગનું ઉદ્ધાટન કર્યું હતું. જોકે આ અંગે સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે જે છત ટર્મિનલ-1 પર પડી ગઈ છે. તેનું નિર્માણ જીએમ એરપોર્ટ્સ લિમિટેડથી પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર્સ સુધીના વિવિધ લોકોએ કર્યું છે.
દિલ્હી-NCRમાં વરસાદને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)ના ટર્મિનલ-1 પર શુક્રવારે સવારે 5 વાગ્યે પાર્કિંગની છત તૂટી પડી હતી. દુર્ઘટનામાં કારમાં બેઠેલા કેબ ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હાલ મેદાંતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એરપોર્ટ પર ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું કે સવારે ટર્મિનલ-1 પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની લાંબી લાઈનો હતી. આ દરમિયાન છત તૂટી પડી હતી. છતનો ભારે ભાગ અને ત્રણ લોખંડના આધાર બીમ વાહનો પર પડ્યા હતા. આ દરમિયાન અહીં પાર્ક કરેલી કાર નીચે દબાઈ ગઈ હતી.
દુ્ર્ઘટનાનો વીડિયો
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. તમામ એરલાઈન્સને ટર્મિનલ 1 પર અસરગ્રસ્ત મુસાફરોને મદદ કરવાની સલાહ આપવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થળ પર કામ કરી રહી છે. બચાવકાર્ય હજુ પણ ચાલુ છે. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે પહેલો પ્રી-મોન્સૂન વરસાદ પડ્યો હતો. ગઈકાલથી સતત વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારો રાતોરાત પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ હાલ પણ 3થી 4 ફૂટ પાણી ભરાયેલા છે.